• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બેદરકારી કોની ? નદી વચ્ચે મહિલાનું હૈયાફાટ રૂદન કાળજું કંપાવશે!

Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બેદરકારી કોની ? નદી વચ્ચે મહિલાનું હૈયાફાટ રૂદન કાળજું કંપાવશે!

10:39 PM July 09, 2025 Gujju News Channel Share on WhatsApp

ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે.. આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થઇ ચૂક્યા છે.. અધિકારીઓના વાંકે અનેક જિંદગી હતી ન હતી થઇ ગઇ, તો અનેક પરિવારોનો માળો વિંખેરાઇ ગયો



Gambhira Bridge Incident : વડોદરા જિલ્લાના પાદરા પાસે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. ઘટનાની ઘડી એટલી ભયાનક હતી કે જીવ બચાવવા લોકો ચીસા પાડી રહ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત થયા છે. તો અન્ય 5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના શા માટે બની અને તેના પાછળ કોની બેદરકારી છે તે અંગે લોકો સતત સવાલ કરી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી માત્ર હૈયાધારણા અપાઈ રહી છે. બીજી બાજુ ભ્રષ્ટાચારીઓના પાપે પડેલો આ પુલ લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ પણ ઓછો કરી રહ્યો છે...


► શું બન્યું હતું?


• 7:30 વાગ્યે, પાદરા નજીકનો 45 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડ્યો.

• તેમાં પસાર થતી 2 ટ્રક, 2 ઈકો કાર અને અનેક બાઈક સીધા મહીસાગર નદીમાં પડી ગયા.

• અત્યાર સુધીમાં 10થી વધુના મોત થયા છે અને ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા છે.

• અનેક પરિવારો હજુ તેમના સગાંને શોધી રહ્યા છે.


Gambhira Bridge Incident : વડોદરા જિલ્લાના પાદરા પાસે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તુટ્યો


► "બચાવ કાર્ય 1 કલાક પછી શરૂ થયું" : સ્થાનિકો


ઘટના બાદ NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. નદીની વચ્ચે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં રાત્રિના સમયે પણ પ્રયાસો ચાલુ રાખ્યા છે. પરંતુ આ ઘટનાને આંખે જોનારા ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટનાના એક કલાક સુધી કોઈપણ રેસ્ક્યુ ટીમ પહોંચી ન હતી.


► તંત્ર પર બેદરકારીના આક્ષેપ


સ્થાનિકોના મતે, બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો. ઘણીવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં ફક્ત દેખાવ પૂરતું સમારકામ કરવામાં આવ્યું હતું. આજની આ દુર્ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

વિગત માહિતી
જગ્યા પાદરા, મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ
ખાબકેલા વાહનો ટ્રક, પીકઅપ, ઈકો કાર અને બાઈક
જાનહાનિ સ્થાનિકો દ્વારા કેટલાક મોતના દાવા
કામગીરી પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ
કારણ જર્જરિત માળખું અને બેદરકારી

Gambhira Bridge Incident : વડોદરા જિલ્લાના પાદરા પાસે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તુટ્યો


વડોદરા જિલ્લાના પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં જનહાનિ થતા સરકારોએ રાહત પેકેજ જાહેર કર્યું છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને લઇ રાજ્ય તથા કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.


► સહાય રકમની વિગતો :


લાભાર્થી સહાય રકમ સહાય આપનાર
મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો રૂ.4 લાખ રાજ્ય સરકાર
મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો રૂ.2 લાખ કેન્દ્ર સરકાર (PMNRF)
ઈજાગ્રસ્ત વ્યક્તિઓ રૂ.50,000 રાજ્ય સરકાર દ્વારા

♦ કુલ મળીને મૃતકના પરિવારને ₹6 લાખ મળશે.
♦ ઘાયલોને સારવાર માટે ₹50,000 સહાય આપવામાં આવશે.


►ગંભીરા પુલ દુર્ઘટમાં ભોગ બનેલા લોકો


અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા હતા અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક પરિવાર (Parivar)ના 3 સભ્યો (પિતા અને બે બાળકો) મૃત્યુ પામ્યા હતા.આ ઘટના ખુબજ વિષાદજનક છે.


► મૃતકો (10)


1. Rameshbhai Ravjibhai Padhiar, 38 — મુજપુર, વડોદરા

2. Vaidika Rameshbhai Padhiar, 4 (બેસ્ટ) — મુજપુર

3. Naitik Rameshbhai Padhiar, 2 — મુજપુર

4. Vakhtsinh Manusinh Jadav, 55 — કેહાનવા

5. Hasmukhbhai Mahijibhai Parmar, 40 — હર્શદપુરા

6. Rajeshbhai Ishwarbhai Chavda, 22 — દેવાપુરા, આંકલાવ

7. Pravinbhai Ravjibhai Jadav, 33 — ઉંડેલ, ખંભાત

8. Kanjibhai Melabhai Machhi, 40 — ગંભીરા, આંકલાવ

9. Jashubhai Shankarbhai Harijan, 65 — ગંભીરા, આંકલાવ

10. Ajitsinh Vajesinh Vaghela, 32 — સુંદરપુરા, ખંભાત


► ઈજાગ્રસ્ત (5)


1. Narendrasinh Ratansinh Parmar, 45 — ડેહગામ

2. Ganpatsinh Khansinh Rajput, 40 — ઉદેપુર, રાજસ્થાન

3. Rajubhai Dodabhai, 30 — દ્વારકા

4. Dilipbhai Raysinh Padhiar, 34 — નાનીશેરખી

5. Sonalben Rameshbhai Padhiar, 45 — મુજપુર


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gambhira Bridge Incident 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us